Search This Blog

17/03/2010

વિના ટોઈલેટે મારે ભમવા’તા ડૂંગરા...

એક ચિત્રકાર સુરતના મારા એક આર્કિટેક્ટ મિત્રને પરાણે પોતાના પેઈન્ટિંગ્સ બતાવવાની જીદ લઈને બેઠો હતો. ‘બાપૂને આવી કોઈ કલા-બલામાં રસ નહિ. પેલો પેઈન્ટિંગ્સ બતાવતો જાયપણ દરેક ચિત્રે પાછું એનું વિવરણ કરતો જાય. એને ખબર નહોતી કેકેવા સિંહના મોંઢામાં એ હાથ નાંખી રહ્યો છે! અડધો કલાક સુધી બાપૂએ મૂઢમાર ખાધે રાખ્યો અને છેવટે વાર્તા પૂરી થઈએટલે વળતા હૂમલા સાથે કીઘું, ‘‘આપે આપની કલા બતાવી. મને જો કેસમજણ નથી પડીપણ હવે હું મારું નવસર્જન બતાવું.’’

વ્યવસાયે બાપૂ આર્કિટેક્ટ છે. એમણે થેલો કાઢ્યો.

‘‘જુઓ કલાકાર... સુરતમાં જાહેર શૌચાલયો બનાવવા મેં કેટલીક ડીઝાઈનો તૈયાર કરી છેએ બતાવું. એમાં મારી કલા છે!’’ પેલાએ કીઘું, ‘‘હાપણ મને આમાં કાંઈ ખબર ન પડે!’’

‘‘મને તમારામાં પડીતી... ?’’

બાપુએ ડીઝાઈનો બતાવતા કહ્યું, ‘‘આ શૌચાલયની વિશિષ્ટતા એ છે કેએમાં દાખલ થવાનો દરવાજો છતમાંથી છે. બાકી બઘું સજડબંબ... ! રસ્તે નીકળ્યા હો અને એકી લાગે તોબહારથી તમને એક સામાન્ય ઓરડી જેવું લાગેપણ જવું જ પડે એમ હોય તો સાઈડમાં નિસરણી આપી છેએ ચઢીને છતમાંથી નીચે ઉતરવાનું...’’

‘‘પણ... સાઈડમાં દરવાજાને બદલે ઉપર છતમાંથી દરવાજો કેમ ?’’

‘‘બહુ ભીડ ન થાય ને... ? અમારા સુરતીઓને વિના મૂલ્યે મળતું હોય તો ટોઈલેટ પણ જઈ આવે... !’’

‘‘ઓહ...’’

‘‘ને આ બીજું શૌચાલય જુઓ... આમાં દરવાજો ખરોછત પણ ખરીદિવાલો પણ ખરી... પણ નીચે કાંઈ નહિ... નીચે કોરૂં ધાકોડ... સીધી તમને જમીન દેખાય.’’

‘‘તો... બેસવાનું કઈ રીતે ?’’

‘‘ઘરની બહાર નીકળેલા ભારતના અડધા ઉપરાંત નાગરિકોને ઊભા ઊભા જ મૂત્ર-વિસર્જન કરવું પડે છે અને તે પણ કોઈના બંગલાના કમ્પાઉન્ડની બહાર... ! સરકારો તો કાંઈ કરતી નથી. આમાં મારી કલા એ વાતમાં છે કેઊભા ઊભા ય નાગરિકનું ગૌરવ જળવાવું જોઈએ... માટે નીચે સીમેન્ટના બે પગલાં-બગલાં જેવું ય કાંઈ રાખ્યું નથીને છતાં ય પ્રાયવસી રહે.’’

સાંભળ્યું છે કેચિત્રકારે એ પછી કોઈને પોતાના પેઈન્ટિંગ્સ બતાવ્યા નથી.

ગુજરાતના વિકાસમાં જાહેર-મૂતરડીના નૂતન સ્થાપત્યોની ક્યાંય વાત આવતી નથી. નવા ઓવરબીજો બને છેનવી ઓવર-કે અન્ડર-મૂતરડીઓ ક્યાં બનતી જોઈજગ્યા મળે ત્યાં ધર્મોવાળા ય પોતાના મંદિરો-દેરાસરો ઊભા કરી દે છે. કોઈ ટોઈલેટ બનાવે છેમંદિરો કરતા એની ઓછી જરૂરત છેભક્તોના ટોળેટોળા તો બન્ને સ્થાનો ઉપર સરખા જ વળવાના છે. સંકુચિતતા વધારે પડતી હોય તો ‘બ્રાહ્મણીયું-ટોઈલેટ’, ‘જૈન-શૌચાલય’, ‘પટેલ-લોબી’, ‘વૈષ્ણવજન મૂત્રવિસર્જન ઘાટ’ કે ‘રોટરી-મૂત્રાલય’ અને ‘લાયન્સ-ફૂવારા ઘર’ જેવા રૂપકડાં નામો આપો! પણ પૈસા બીજે ખર્ચો છોતો આમાં તો થોડા જ નાંખીને મોટા નામ થવાના છે કે નહિધર્મસ્થાનોની દિવાલો દાતાઓના નામો ચીતરી-ચીતરીને બગાડી મ્હેલો છોતો અહીં તો મોકળાશ છે. મુલાકાતી ઊભો હોય ને દિવાલ સામે ઊંચુ જુએ ને તમારા બાપાનું નામ વંચાયએવી સગવડ ઠાઠથી મળશે. ‘સ્વ. રણછોડભઈ મફાભઈ પટેલના સ્મરણાર્થે આ મૂતરડીને રૂા. ૧૫૧/-નું દાન તેમના પુત્રો તરફથી મળ્યું છે.’’ કેવું મનોહર-મનોહર લાગે, ‘‘શેઠશ્રી સકરચંદ શૌચાલય.’’ આપણાં પૈસે પોતાનું નામ રોશન કરતા ધારાસભ્યો એક બાંકડો મૂકાવેએમાં પોતાનું નામ મૂકાવવાનું ચૂકતા નથી. બેશર્મીની હદ કહેવાય નેપોતાના ખિસ્સાનો રૂપિયો ય પડતો નથી. ધારાસભ્યના ફંડમાંથી તું બાંકડો મૂકાવેએમાં તું કાળધર્મ પામ્યો હોયએવી તખ્તી તારા નામની બાંકડા ઉપર કેવી રીતે આવેપણ એમાંના એકે ય ને એકી લાગતી નહિ હોયનહિ તો ગુજરાતના આટઆટલા શહેરો જાહેર-મૂતરડીઓ વગર તરસી રહ્યા છેતો એકે ય પ્રધાન કે ધારાસભ્યનો કોઈ શૌચાલયનું મંગળ-ઉદઘાટન કરતો ફોટો જોયોમૂતરડી તો જાણે વેશ્યા હોયએમ ચારે બાજુથી નીગ્લેક્ટ થતી રહી છે. આ ધરતી ઉપર એક પણ પાપ કર્યું ન હોયએવા પવિત્ર માનવીથી માંડીને દાઉદ ઈબ્રાહિમ સુધીના સજ્જનોને પણ ક્યારેક જાહેરમાં એકી કરવાની જરૂર તો પડે જ છે. આ દર્દ ન સહેવાયન કહેવાય એવું ભીષણ હોય છેછતાં એ પાછું ‘દર્દની વ્યાખ્યામાં આવતું નથી. રસ્તે હરતા-ફરતા છેલ્લી પચ્ચીસ મિનિટથી એના ચેહરાનો ઊડી ગયેલો રંગ જોઈને કોઈ પણ કહી શકે કેઆ માણસ અત્યારે કોઈ મહા-યાતનામાંથી પસાર થઈ રહ્યો છે. જો સાથે કોઈ હોય તો એની વાતોમાં એનું ઘ્યાન હોતું નથી. એ જુએ છે ક્યાંક ને વિચારે છે કાંઈ બીજું. આવું તડપવામાંએની આંખોની ભ્રમર ઊંચી રહી જાય છે અને દાંત બીડાયેલા હોય છતાં હોઠ વારંવાર ઉઘાડબંધ થયે રાખે છે. આ તબક્કે એને હસાવી શકાતો નથી. પસાર થતી કોઈ સેન્ટ્રોમાં વાગતું ગીત ‘‘લાગી છુટે નાહોઓઓ’’ એની છાતીમાં બળતરાઓ ઊભી કરે છે. માનવ-જીવનનો એક આ તબક્કો ભારે દયાજનક હોય છે. અહીં કોઈપણ પ્રકારની શૂરવીરતાલાગવગકમ્પ્યૂટરની માસ્ટરીદાળ-ઢોકળી માટેનો પ્રેમમહાન વિચારક બટ્રાન્ડ રસેલ કે ‘‘મારૂં વનરાવન છે રૂડું વૈકૂંઠ નહિ રે આવું...’’ જેવા ગીતો તેને માનસિક કે શારીરિક રાહત આપી શકતા નથી. અત્યારે એની ઝંખના વિશ્વશાંતિયુરેનિયમબાળકનું સ્મિત કે કોઈ નવયૌવના માટે નથી હોતી. એને તો તલાશ છે કોઈ અંધારા ખૂણામાં આવેલા બંગલાની બહારની નિર્જન કમ્પાઉન્ડ-વોલની! જ્યાં કોઈ તેનો તપોભંગ ન કરેજ્યાં તેની ૨૦-૨૫ સેકંડની સમાધિ ઉપર ઢેખાળા ન ફેંકે. ટીવીની ડિસ્કવરી-ચેનલ ઉપર એ કાંઈ Mega Structures જોવા માંગતો નથી. એને તો નાનું તો નાનુંમનને ચિરંજીવ શાંતિ આપતું શૌચ-સ્થાપત્ય જોવું છેજે એને કદાપિ National Geographic Channel ઉપર પણ જોવા મળશે નહિ. જાહેર શૌચાલયો કોઈ દેશમાં Mega Structures તરીકે પેશ નથી થતા. આ એક એવી ‘ધી એમેઝિંગ-રેસ’ છેજેને નેટ-જીઓ પર પણ પ્રસારિત કરવામાં આવતી નથી!

કેવું રડવું આવી જાય એવી આ દાસ્તાન છેમાણસ કોઈ ગુન્હો કરતો નથીછતાં કેમ જાણે એ કોઈ ખોટું કામ કરવા ઊભો હોયએમ ફફડતા હૈયે કમ્પાઉન્ડની દિવાલને અડીને પોતાની કાર્યસિદ્ધિ હાંસિલ કરવી પડે છે. એના મનમાં કે તનમાં પાપ નથીછતાં ચાલુ પ્રવાસે હમણાં કોઈ બૂમ મારશે, ‘‘હેય... શરમ નથી આવતી અહીં ગંદકી કરતા ?’’ તો કેમ જાણે કોઈનું ખિસ્સું કાપીને ભાગવાનું હોયએમ કાચી સેકન્ડમાં મંગળદ્વારો ફટાફટ બંધ કરીનેબન્ને પગ ઉલાળીનેઘટનાસ્થળ છોડવું પડે છે. એની ગતિ રોકવા આવી, ‘કોણ છે... ?’ની બી જવાય એવી બૂમ પાડનારને ઈશ્વર કદી માફ નહિ કરે. સુઉં કિયો છો? (જો કમ્પાઉન્ડ અને દિવાલ તમારી ન હોયતો કાંઈ ન કહેતા!)

રહી વાત મહિલાઓની. મહિલાઓએ રાબેતા મુજબની જીદો કરીને અનામત-બિલ લવડાવ્યુંપણ મૂર્ખીઓને જેની પહેલી જરૂરત હતીતે જાહેર-માર્ગો પરના મહિલા-શૌચાલયોની અછતનું કેમ ન સૂઝ્યું ? શું એ રોડ પર આવી ગયેલી ભારતની હરએક બેસહારા નારીની તાતી જરૂરિયાત નથીસી.જી. રોડ પર શોપિંગ કરવા નીકળેલી બે-ત્રણ જણીઓ એના વગર કેવી ચીમળાઈ જાય છે? (શું નથી ચીમળાતીજવાબ : બહુ ચીમળાય છે. જવાબ પૂરો) પુરૂષો તો પછી નફ્ફટ થઈને કોઈ બી ખૂણો ગોતી લે છેઆમનું શું ?

ઈશ્વરનો પાડ માનો કેશૌચાલયોની આવી કારમી અછત છતાં પુરૂષો બાળ-સ્વરૂપ ધારણ કરતા નથી... !

સિક્સર
આઈપીએલમાં રમનારો એક પણ ક્રિકેટર ધો. ૧૦ કે ૧૨મા ૯૨ટકા માર્ક્સ લાવ્યો નથી.
મમ્મીઓ-પાપાઓ... વિચારો !

10/03/2010

...એમ કંઈ વગર બેસણે કોઈને ત્યાં પહોંચી ના જવાય !

પ્રશ્ન : દવે સાહેબ. આપે આપના જીવિત જીવન દરમ્યાન લાખો- કરોડો બેસણામાં ઉપસ્થિત રહીને મરનારની શોભાઓમાં અભિવૃદ્ધિઓ કરી છે. અને એક લોકવાયકા મુજબ, આપની ઉપસ્થિતિ માત્રથી અનેક બેસણાં ઝળહળી ઊઠ્યા છે. સામે, આપને પણ આવો મોકો આપવા માંગતા લાખો ભાવકોને કૃપા કરીને પ્રવર્તમાન બેસણા પદ્ધતિ ઉપર કોઈ પ્રકાશ પાડશો ?
જવાબ : એક સ્પષ્ટતા, હું કોઈના બેસણામાં મરનારની કે હજી સુધી નહિ મરનારની શોભામાં અભિવૃદ્ધિઓ કરવા નથી જતો. બીજી સ્પષ્ટતા (કેટલી થઈ ? જવાબ : બે થઈ. - જવાબ પૂરો.), કે બેસણાંમાં જવું મારો ધંધો કે હૉબી નથી, એટલે લાખો- કરોડો બેસણામાં મારા ઉપસ્થિત રહેવાની વાત સમજાતી નથી. ત્રીજી સ્પષ્ટતા : સંબંધ ગમે તેવો નજીકનો હોય, કોઈના બેસણાં આપણે ઝળહળાવી આપવાના ન હોય. જૂના કાઠીયાવાડી લગ્નોમાં માથે પૅટ્રોમેક્સ મૂકીને વરઘોડાને ઝળહળતો બનાવાતો, એવી પૅટ્રોમેક્સો માથે મૂકીને હું બેસણામાં જતો નથી. હા, જસ્ટ હવાફેર માટે હું કોઈ પણ બેસણામાં ગયો હોઉ, ત્યાં મારા જવાથી કોઈને આનંદ થયો હોવાનું મેં નોંઘ્યું નથી. જેના નામનું એ બેસણું ગોઠવાયું હોય, એનો ફૂલ ચઢાવેલો ફોટો ય કદી મને જોઈને ગેલમાં આવી ગયો નથી. હું પણ મારા ભાવકોની લાગણી સમજી શકું છું, એટલે કવચિત એમને પણ આવો મોકો આપીશ.

પ્રશ્ન : સર. આપને પેલો પ્રકાશ પાડવાનો બાકી છે...
જવાબ : જી. પ્રકાશને પાડવો મને ખૂબ ગમે. અમે સ્કૂલમાં હતા, ત્યારે ય એ બહુ લેંચુ મારતો હતો. ખુરશી ખેંચી લઈને મેં એને ઘણીવાર પાડ્યો છે. એ પછી આઇ- થિન્ક... સને ૧૯૬૯-ની વસંત કે શિશિર ઋતુ પછી ગુજરાતી સાહિત્યમાં, ‘પ્રકાશ પાડવોએ શબ્દપ્રયોગ મશહૂર થયો.

પ્રશ્ન : અત્યારે પાડશો ?
જવાબ : જરૂર. બેસણું આપણે ત્યાં એક ઉત્સવ મનાયું છે. ખોળિયું બદલવાની પ્રક્રિયાને આપણે બેસણાંજેવા રસઝરતા ઉત્સવનું નામ આપી શકીએ. યૂ સી... અમે મહાપુરુષો કદી મરતા નથી. કાં તો પંચમહાભૂતોમાં વિલીન થઈ જઈએ છીએ, કાં તો પરમધામમાં જઈએ છીએ ને કાં તો ખોળીયું બદલીયે છીએ. ઍક્ચ્યુઅલી, અમે મરતા નથી.

પ્રશ્ન : તો શું મૃત્યુને ઉત્સવ કહી શકાય.
જવાબ : બાપાનું રાજ ચાલે છે...પણ અમારા સાહિત્યકારો એને ખોળીયું બદલવાના ઉત્સવ તરીકે ઓળખાવીને ઉત્સવશબ્દને સોગીયો બનાવી દીધો છે. શું કોઈ લેખક-કવિ ઉકલી જાય, એને ઉત્સવ ગણીને ડાધુઓ હાથમાં દોણીને બદલે સ્કાઉટવાળા વાપરે છે એવા લૅઝીમ, બૅન્ડવાજા, લાંબા પિપુડાં અને ઢોલ-નગારાં વગાડતા સ્મશાનયાત્રા કાઢે છે ? અમારા જેવી મૃત્યુની મશ્કરી કોઈ નથી કરતું !

પ્રશ્ન : ઓહ... આપે કેવો ઝળહળતો પ્રકાશ પાડી આપ્યો ! હવે અમારા ઉત્સુક ભાવકોને પ્રવર્તમાન બેસણાં- પદ્ધતિ વિશે કાંઈ કહેશો ?
જવાબ : સંસ્થા જાણવા શું માંગે છે ?

પ્રશ્ન : તગારૂ....! આઇ મીન, આજકાલ બેસણાંની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. માણસો મરે છે, એના કરતાં બેસણાં વધારે થાય છે. આમ થવાથી કેટલાક વ્યસ્ત ભાવકો કાં તો એકને બદલે બીજા બેસણામાં જઈ આવે છે ને કાં તો પાર્ટી હજી મરી જ ન હોય, છતાં એને ઘેર ધોળા હાડલા પહેરીને પહોંચી જવાના દાખલા બને છે. આ સંદર્ભે આપની સલાહની જરૂર છે.
જવાબ : મૃત વ્યક્તિઓને તો હું શી સલાહ આપી શકું... ? આ---

પ્રશ્ન : અરે બાપા, સલાહ મૃત વ્યક્તિઓએ નથી માંગી... બેસણામાં જતા ભાવકોને આપવાની છે...
જવાબ : શરીરમાં ઉમંગ, મનમાં તરંગ અને સમાજમાં સગપણ ગમે તેટલા હોય, પાર્ટી હજી ઉકલી જ ન હોય, તો એના બેસણામાં જવું અપરાધ છે. આમ કરવાથી ઘણીવાર જીવિત વ્યક્તિઓના મનમાં મૃત્યુનો અને ઉપર ઑલરેડી પહોંચી ગયેલી વ્યક્તિઓના હૈયામાં અહીં પાછા આવવાના વિચારોનો સંચાર થાય છે.

પ્રશ્ન : અપરાધ...? આને આપ અપરાધ કઈ રીતે કહી શકો ? કોઈએ ભૂલમાં ખોટા સમાચાર આપ્યા અથવા સમજો ને... ભૂલમાં ભળતા નામના બેસણે પહોંચી ગયા, તો ઇરાદો કાંઈ ખરાબ ન હોય... આને ભૂલ ચોક્કસ કહેવાય.
જવાબ : મિત્ર, અયોગ્ય સ્થળે, જીવિત વ્યક્તિના બેસણામાં પહોંચી ગયા પછી, સૌજન્ય ખાતર પણ કહેવું કે, ‘‘, સૉરી, અમને ખોટી માહિતી મળી હતી. જીજુભાઈ જીવતા છે, એ જ હજી અમારા તો માનવામાં આવતું નથી. પણ હવે... થોડું તમે જતું કરો ને થોડું અમે જતું કરીએ. આટલે સુધી આયા છીએ તો બેસણું ગોઠવી નાંખો ને...! અમે ક્યાં ફરીફરી અહીં મણિનગર સુધી લાંબા થવાના છીએ...!’’ એવું તો ના જ કહેવાય ને ?

કહો તો પણ શું એ લોકો તમને ઑબ્લાઇજ કરે ખરા ? ખોટી અપેક્ષાઓ જ જીવનને રૂંધે છે. આપણું જીવન જ નહિ, ઉપર ઑલરેડી પહોંચી ગયેલાઓના જીવન પણ રૂંધે છે.

પ્રશ્ન : ઉપર પહોંચી ગયેલાઓના...??? સર. એ લોકોને તો જીવન જેવું ક્યાં કાંઈ હોય છે ?
જવાબ : અરે બાપા, એમના કૅસોમાં જીવન નહિ તો મૃત્યુઓ રૂંધાય... મારો મૂળ સંદેશો પકડો ને... ? શબ્દોની ક્યાં ---

પ્રશ્ન : આપે ગયા બુધવારના લેખમાં ખોટા બેસણામાં પહોંચી ગયા પછીશું કરવું, તેનું ભાવિ ડાધુઓને સુપેરે માર્ગદર્શન આપ્યું હતું. આપને તો આવું ઘણી વખત થતું હશે, નહિ ?
જવાબ : હા, ક્યારેક બેસણાંની જાહેરાતોમાં નામ વાંચવાની ગરબડને કારણે આવું થવું સંભવિત છે. ઘણીવાર આવી જાહેરખબરોમાં ફોટો અને બેસણું પુરુષનું છપાયું હોવા છતાં, મારાથી બાજુમાં બેસનારને કહેવાઈ જાય છે કે, ‘‘માજી બહુ ધરમ-પરાયણ હતા, નહિ ?’’ સાંભળીને પેલાને હેડકી નહિ, પણ મોટો હેડકો ઉપડી આવે છે. આ મારી અક્ષમ્ય ભૂલ કહેવાય. ભાવકે કદાપિ મૃત વ્યક્તિનું જાતીય- પરિવર્તન કરી નાંખવું ન જોઈએ. મરતા પહેલા સંપૂર્ણ પુરુષ લાગતા હૃષ્ટપૃષ્ટ જીજુભાઈ મર્યા પછી સીધા માજીકેવી રીતે થઈ ગયા ?’’ એનો એ હેડકો ઉપડ્યો હતો, એ અંગે ગયા બુધવારે વાત લખી હતી. (શું બૉસ... ? ‘બુધવારની બપોરેકેવી આવે છે ?) પણ એવી ભૂલ કર્યા પછી મારી જેમ વાળી લેતા પણ આવડવું જોઈએ.

પ્રશ્ન : શું ગુજરી જનાર વ્યક્તિ પાસે આપણે હજાર- દસ હજાર લેવાના બાકી હોય, તો બેસણાંને બહાને તેના ઘરવાળાઓ પાસે ઉઘરાણી કરી શકાય ?
જવાબ : ઘરમાં આવો ઉધારીયો ડોહો પેદા કરવા બદલ, અગરબત્તીવાળા ફોટાની આજુબાજુમાં બેઠેલા એના તમામ ફેમિલી- મેમ્બરોને ગોળીએ ને ગોળીએ ફૂંકી મારવા જોઈએ. પણ આપણી બાના સંસ્કાર સારા હોવાથી આપણે એવું કરતા નથી. (જો કે, ઘણાની તો બાઓ પણ કરૂબાજ હોય છે !) પણ... સમયસૂચકતા વાપરીને ખરખરા ભેગી આપણી વાત એ લોકોના કાને નાખી દેવી. મરતા પહેલા ડોહો એની કીડની ય આપણા નામે કરતો ગયો હોતો નથી. પણ, ડોહા પાસેથી આપણે જેટલા કઢાવવાના બાકી હોય, તેના કરતા ચારગણી રકમ કહેવી, ‘‘જીજુભાઈ માયાળુ બહુ, અમારે ત્યાં તો કાયમ ચોળાફળી ખાવા આવતા. પીળી ચટણી એમને બહુ ભાવે... (જરા હસી પડતાં બોલવું) હંહહહ... હજી ગયા મહિને જ મારી પાસેથી બાવી હજાર લઈ ગયાતા.. કહે કે, સોમવારે મોકલાવી દઈશ....’’... પણ (આ વખતે જરા દર્દભર્યું હસવું) હંહહહ... એમ કાંઈ કોઈ જનાર પાછું આવ્યું છે, ભાઈ ?’’

પ્રશ્ન : મતલબ.. આવો ઠૂઠવો મૂકવાથી... આપણી અઢી હજાર પાછા આવી જાય ?
જવાબ : એ તો મારા ય નથી આયા... પણ ડોહો ઘરવાળાઓને સારા સંસ્કાર આલતો ગયો હોય તો કમ-સે-કમ... પાંચ હજાર તો પાછા આવે ને ? આપણે તો વકરો એટલો નફો જ છે ને ?

પ્રશ્ન : સર... આપના સ્વ. પિતાશ્રી પહેલા એસ.ટી.માં નોકરી કરતા હતા... ?
જવાબ : હા. કેમ ?

પ્રશ્ન : ના. ખાસ કાંઈ નહિ, પણ ઓકે ઓકે જવા દો ને... સાડા પાંચ હજાર ક્યાં કંઈ મોટી રકમ છે.. એ તો---
જવાબ : (અહીં લખી ન શકાય પણ તમને આવડે છે, તે બધી ગાળો મનમાં વાંચીને લેખ પૂરો થયેલ ગણવો.)

સિક્સર
- હેમામાલિનીના ઘરમાં રૂા. ૮૦ લાખની ધાડ પડી....!
- હા, એના ઘરમાં ધાડ પાડવા જેવું બીજું છે ય શું ?